મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી ૨જી અને ૩જી સપ્ટેમ્બરેના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વ. રેશ્માબેન પ્રફુલભાઈ દોશી (રીનાબેન દેવેન્દ્રભાઈ મહેતા)ના આત્મશ્રેયાર્થે હસ્તે સુરજબેન પ્રફુલભાઈ દોશીના પરિવાર દ્વારા આ કેમ્પ માટે આર્થીક સહયોગ પ્રદાન કરવામાં આવ્યો છે.

આગામી તા.૨ અને તા. ૩સપ્ટેમ્બરે એટલે કે શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે યોજાનાર આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન અને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન દર્દીઓનું વિનામૂલ્યે નિદાન થશે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.

જેમા લોકોનું વિનામૂલ્યે નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધાવવાનું રહેશે.તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેસ પેપર સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.






Latest News