માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી ૨જી અને ૩જી સપ્ટેમ્બરેના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વ. રેશ્માબેન પ્રફુલભાઈ દોશી (રીનાબેન દેવેન્દ્રભાઈ મહેતા)ના આત્મશ્રેયાર્થે હસ્તે સુરજબેન પ્રફુલભાઈ દોશીના પરિવાર દ્વારા આ કેમ્પ માટે આર્થીક સહયોગ પ્રદાન કરવામાં આવ્યો છે.

આગામી તા.૨ અને તા. ૩સપ્ટેમ્બરે એટલે કે શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે યોજાનાર આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન અને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન દર્દીઓનું વિનામૂલ્યે નિદાન થશે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.

જેમા લોકોનું વિનામૂલ્યે નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધાવવાનું રહેશે.તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેસ પેપર સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.






Latest News