મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન
મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોંપાયો
SHARE
મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોપાયો
મોરબીના ઝૂલતા પુલ કેસમાં મૂકવામાં આવેલા સ્પેશિયલ પી.પી.એ રાજીનામું આપી દીધું હતું જેથી તેમને આ કેસમાંથી હટાવવામાં આવેલ છે અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને હવે આ કેસની જવાબદારી સોંપવામાં આવેલ છે.
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપી જેલમાં હતા તે પૈકીનાં પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને પાંચ હજુ પણ જેલમાં છે.આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી હતી. જો કે, તેઓએ રાજીનામુ મૂકી દેતા રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા એસ.કે.વોરાને છુટા કરીને તેમની જગ્યાએ મોરબી જિલ્લાના ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસની જવાબદારી સુપ્રત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.









