મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોંપાયો


SHARE







મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોપાયો

મોરબીના ઝૂલતા પુલ કેસમાં મૂકવામાં આવેલા સ્પેશિયલ પી.પી.એ રાજીનામું આપી દીધું હતું જેથી તેમને આ કેસમાંથી હટાવવામાં આવેલ છે અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને હવે આ કેસની જવાબદારી સોંપવામાં આવેલ છે.

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપી જેલમાં હતા તે પૈકીનાં પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને પાંચ હજુ પણ જેલમાં છે.આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી હતી. જો કે, તેઓએ રાજીનામુ મૂકી દેતા રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા એસ.કે.વોરાને છુટા કરીને તેમની જગ્યાએ મોરબી જિલ્લાના ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસની જવાબદારી સુપ્રત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News