મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોંપાયો


SHARE













મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોપાયો

મોરબીના ઝૂલતા પુલ કેસમાં મૂકવામાં આવેલા સ્પેશિયલ પી.પી.એ રાજીનામું આપી દીધું હતું જેથી તેમને આ કેસમાંથી હટાવવામાં આવેલ છે અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને હવે આ કેસની જવાબદારી સોંપવામાં આવેલ છે.

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપી જેલમાં હતા તે પૈકીનાં પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને પાંચ હજુ પણ જેલમાં છે.આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી હતી. જો કે, તેઓએ રાજીનામુ મૂકી દેતા રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા એસ.કે.વોરાને છુટા કરીને તેમની જગ્યાએ મોરબી જિલ્લાના ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસની જવાબદારી સુપ્રત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News