મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

નવલખી રોડે લવણપુર નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં એકનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







નવલખી રોડે લવણપુર નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં એકનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લવણપુર નજીક ટ્રકની સાથે ટ્રક અથડાયો હતો જેથી કરીને અકસ્માતો બનાવની બન્યો હતો અને ત્યારે ટ્રકમાં બેઠેલ એક વ્યક્તિને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે અન્ય બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના ચાંદ મસ્જિદ ધોબીઘાટ પાસે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા ઈકબાલભાઈ યુનુસભાઇ બેલીમ જાતે મુસ્લિમ (૩૩) એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૮ બીટી ૦૯૬૧ ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લવણપુર નજીકથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૯૨૭ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરેથી ચલાવીને તેના ટ્રકની કેબીન સાથે અથડાવ્યો હતો જેથી કરીને તેની કેબિનમાં બેઠેલા હનીફભાઈ નુરમામદભાઈ કચ્ચાને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની કેબિનમાં બેઠેલા માનવેન્દ્ર મિશ્રા તેમજ ક્લીનર કાનાભાઈને હાથે અને પગે ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ટ્રકમાં નુકસાની થયેલ હોવાથી હાલમાં ઈકબાલભાઈ બેલીમ દ્વારા અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News