મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સીટી પોઇન્ટ કોમ્પ્લેક્સની બાજુમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીમાં સીટી પોઇન્ટ કોમ્પ્લેક્સની બાજુમાંથી બાઈકની ચોરી

મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે સીટી પોઇન્ટ કોમ્પ્લેક્સની બાજુમાં બાઇકને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું તે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી મુજબ મૂળ લુંટાવદર ગામના રહેવાસી અને હાલમાં મોરબીને સામાકાંઠા વિસ્તારમાં પ્રભુ કૃપા ટાઉનશિપની બાજુમાં સોમનાથ પાર્કમાં આવેલ લાભ પેલેસ બ્લોક નંબર-૧૦૪ માં રહેતા ધવલભાઇ જેન્તીભાઈ પટેલ (૩૦)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષની બાજુમાં તેણે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે બાઈક નંબર જીજે ૧ એફવી ૦૩૬૨ ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે અજાણ્ય શખ્સની સામે ૨૫,૦૦૦ ના બાઈકની ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર એસપી રોડના ખૂણા પાસે રીક્ષાને કાર નંબર જીજે ૧૬ બીકે ૧૯૪૫ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને રિક્ષા નંબર જીજે ૩ ડીયુ ૪૯૬૫ માં બેઠેલ કાનજીભાઈ પરસોતમભાઈ ઉઘરેજા (૪૫) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ કાનજીભાઈ ઉઘરેજાએ કાર ચાલકની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News