મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ભીંતચિત્રમાં હનુમાનજીને દાસ દર્શાવ્યા તેનાથી સહજાનંદ સ્વામી પણ ખુશ ન હોય: મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી


SHARE













ભીંતચિત્રમાં હનુમાનજીને દાસ દર્શાવ્યા તેનાથી સહજાનંદ સ્વામી પણ ખુશ ન હોય: મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી

સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમા પાસે લગાવવામાં આવેલા ભીંત ચિત્રોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે પંચઅગ્નિ અખંડના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે ભાવના અતિરેકમાં આ અવિવેક કર્યો છે અને ચિત્રએ મનની કલ્પના હોય છે જેથી કરીને તેને બદલી શકાય છે માટે સનાતન ધર્મના સંતો અને હિન્દુઓમાં રોષની લાગણી હોય તો સંતોએ બાંધછોડ કરીને વાતને સ્વીકારી લેવી જોઈએ અને વહેલમાં વહેલી તકે વિવાદનો અંત લાવવો જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરેલ છે

મોરબીના ખોખરા હનુમાન હરહરધામના પ્રણેતા અને પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી હાલમાં ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે છે ત્યારે સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેમની સાથે આ મુદ્દે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોઈપણ ચિત્ર એ મનની કલ્પના છે અને કલ્પના બદલી શકાય છે જોકે ભાવના અતિરેકના કારણે આ અવિવેક કર્યો છે પરંતુ જ્યારે સમગ્ર સનાતન ધર્મના સંતો, હિન્દુ સમાજ સહિતનાઓમાં રોષની લાગણી હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બાંધછોડ કરીને વાતને સ્વીકારી લેવી જોઈએ અને વહેલામાં વહેલી તકે જે વિવાદિત ચિત્રો છે તે હટાવવા જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે હનુમાનજીને ભીંતચિત્રમાં દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે તે જોઈને કદાચ ખુદ સહજાનંદ સ્વામી પણ ખુશ થયા નહીં હોય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને એવું પણ તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ ગુરુએ આપેલી આંખેથી શાસ્ત્રોને જોવા જોઈએ તો તેમાં સો ટકા સમાધાન મળશે નહીં તો શાસ્ત્રોની અંદર પણ પાને પાને નવા પ્રશ્નો ઊભા થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News