મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરામાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી ત્રણ આરોપીની ધરપકડ


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરામાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી ત્રણ આરોપીની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને બંને ગુનામાં કુલ મળીને ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કૃપાલસિંહ વીસુભા જાડેજા જાતે દરબાર (૩૭)એ હાલમાં અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેણે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને અજયસિંહ જાડેજાએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે જમણા હાથના અંગૂઠામાં અને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ક્રિપાલસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

જોકે સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં મોટા દહીસરા ગામે રહેતા કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા જાતે દરબાર (૨૭)એ ક્રિપાલસિંહ વીસુભા જાડેજા રહે. મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપી પાસેથી અગાઉ તેણે ઉછીના રૂપિયા લીધેલા હતા જે રૂપિયા બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો આપી હતી અને ફરિયાદી સાથે જપાજપી કરી છરી વડે તેને હાથમાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ક્રિપાલસિંહ વીસુભા જાડેજા રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News