મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વડવાળા યુવા સંગઠન- વરિયા મંદિર યુવા ગ્રુપ જન્માષ્ટમી ઉજવાશે: ધક્કાવાળી મંદિરે ૧૮૦૦ દિવડાની આરતી


SHARE









મોરબીમાં કાલે વડવાળા યુવા સંગઠન- વરિયા મંદિર યુવા ગ્રુપ જન્માષ્ટમી ઉજવાશે: ધક્કાવાળી મંદિરે ૧૮૦૦ દિવડાની આરતી

મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમીના દિવસે મોરબીના શાક માર્કેટ ચોકમાં બપોરે ૧૨ વાગ્યે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ મંડળીઓ રાસની રમઝટ બોલાવશે ત્યારે માલધારી સમાજ પરંપરાગત હુડો, ટીટોડો લઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા કરવામાં આવશે ત્યારે માલધારી સમાજને પરંપરાગત વેશભૂષા પહેરીને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે

મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા ૧૫૮ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે ત્યારે ૭ સપ્ટેમ્બરના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરવામાં આવશે. જેમાં સવારે ૮ વાગ્યે શોભાયાત્રા યોજાશે.

મોરબીના વરિયા મંદિર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાશે ત્યારે સોઓરડી મેઈન રોડ ઉપર વરિયાનગરમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે રાત્રે ૧૨ વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. સાથે બહેનો અને યુવાનો માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

કાલે જન્માષ્ટમીના દિવસે સાંજના ૭:૩૦ કલાકે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ૧૮૦૦ દીવડાનો દિપ પ્રાગટ્ય મહોત્સવ યોજાશે જેથી કરીને સર્વે ધર્મપ્રિય લોકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News