બગસરા ગામે કાલે પ્રવેશદ્વારનું લોકાર્પણ: ચાંચાવદરડા ગામે મટકી ફોડ યોજાશે
મોરબીમાં કાલે વડવાળા યુવા સંગઠન- વરિયા મંદિર યુવા ગ્રુપ જન્માષ્ટમી ઉજવાશે: ધક્કાવાળી મંદિરે ૧૮૦૦ દિવડાની આરતી
SHARE
મોરબીમાં કાલે વડવાળા યુવા સંગઠન- વરિયા મંદિર યુવા ગ્રુપ જન્માષ્ટમી ઉજવાશે: ધક્કાવાળી મંદિરે ૧૮૦૦ દિવડાની આરતી
મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમીના દિવસે મોરબીના શાક માર્કેટ ચોકમાં બપોરે ૧૨ વાગ્યે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ મંડળીઓ રાસની રમઝટ બોલાવશે ત્યારે માલધારી સમાજ પરંપરાગત હુડો, ટીટોડો લઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા કરવામાં આવશે ત્યારે માલધારી સમાજને પરંપરાગત વેશભૂષા પહેરીને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે
મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા ૧૫૮ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે ત્યારે ૭ સપ્ટેમ્બરના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરવામાં આવશે. જેમાં સવારે ૮ વાગ્યે શોભાયાત્રા યોજાશે.
મોરબીના વરિયા મંદિર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાશે ત્યારે સોઓરડી મેઈન રોડ ઉપર વરિયાનગરમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે રાત્રે ૧૨ વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. સાથે બહેનો અને યુવાનો માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે
કાલે જન્માષ્ટમીના દિવસે સાંજના ૭:૩૦ કલાકે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ૧૮૦૦ દીવડાનો દિપ પ્રાગટ્ય મહોત્સવ યોજાશે જેથી કરીને સર્વે ધર્મપ્રિય લોકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે









