મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામેથી ૧૪ માસ પહેલા ગોધરાથી ગુમ થયેલ મહિલા મળી આવી


SHARE















મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામેથી ૧૪ માસ પહેલા ગોધરાથી ગુમ થયેલ મહિલા મળી આવી

ટંકારા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સાવડી ગામેથી એક મહિલાને શોધી કાઢી હતી અને આ મહિલા છેલ્લા @૪ મહીનાથી ગોધરાથી ગુમ થયેલી હોય હાલ આગળની તપાસ માટે પંચમહાલ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મહિલાને ગોધરા પોલીસ હવાલે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


આ અંગે વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ટંકારા પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુમ થયેલ નિશાબેન દિલીપભાઈ ચેલાણી નામની મહિલા કે જે છેલ્લા ૧૪ માસથી ગુમ છે તે નિશાબેન ચેલાણી હાલ ટંકારાના સાવડી ગામે લાલજીભાઈ ઉર્ફે ઓમ અંબારામભાઈની સાથે રહે છે.જેથી બાતમીના આધારે સાવડી ગામે પહોંચીને તપાસ કરવામાં આવતા હોધરાથી ગુમ થયેલ મહિલા નિશાબેન ચેલાણી ત્યાંથી મળી આવી હતી.જેથી તેણીને હસ્તગત કરીને ગોધરા એ ડીવીઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં ટંકારા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.ધાધલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિજયભાઈ બાર, ભાવેશભાઇ વરમોરા, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ વિગેરેએ કરી હતી.

પિતા-પુત્ર સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ વરીયાનગર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ આરબભાઈ ચાનીયા (ઉંમર ૭૦) અને હનીફભાઈ ઉમરભાઈ ચાનીયા (ઉમર ૪૪) ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે સોઓરડી વરીયાનગરમાં આવેલ હનુમાન મંદિર પાસે રસ્તા ઉપરના બમ્પમાં બાઈક સ્લીપ થઈ જવાથી બંનેને ઇજા પહોંચી હોય સારવારમાં ખસેડાયા હતા.જે અંગે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારમાં રહેતા ચિરાગ અમૃતભાઈ સાગઠીયા નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધ થતા તે દિશામાં આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News