માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી પ્રાથમિક સારવાર આપીને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની સાવન અમુભાઈ કોળી નામના ૧૯ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.અહીં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આ બાબતની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક નોંધ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં પરણીતાને ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસ પરામાં રહેતા મીનાબેન કિશનભાઇ ધોળકિયા નામના ૨૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા તપાસ માટે હોસ્પિટલે પહોંચ્યા હતા અને તપાસ કરતા સામે આવ્યું હતું કે, મીનાબેનને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી સારવારમાં ખસેડાયા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની બાબતે પતિ સાથે ઝઘડો થયો હોય તે બાબતને લઈને પતિ દ્વારા મીનાબેનને માર મારવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનાર દ્રારા ફરીયાદ અરજી આપવામાં આવતા હાલ આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચાલુ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર કાંતુભાઈ મંગલિયાભાઈ ભુરીયા (ઉમર ૪૫) રહે.સીસમ સીરામીક પાસે પીપળી રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે જે તે સમયે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ ઝાપડિયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી હતી.

 






Latest News