હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી પ્રાથમિક સારવાર આપીને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની સાવન અમુભાઈ કોળી નામના ૧૯ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.અહીં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આ બાબતની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક નોંધ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં પરણીતાને ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસ પરામાં રહેતા મીનાબેન કિશનભાઇ ધોળકિયા નામના ૨૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા તપાસ માટે હોસ્પિટલે પહોંચ્યા હતા અને તપાસ કરતા સામે આવ્યું હતું કે, મીનાબેનને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી સારવારમાં ખસેડાયા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની બાબતે પતિ સાથે ઝઘડો થયો હોય તે બાબતને લઈને પતિ દ્વારા મીનાબેનને માર મારવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનાર દ્રારા ફરીયાદ અરજી આપવામાં આવતા હાલ આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચાલુ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર કાંતુભાઈ મંગલિયાભાઈ ભુરીયા (ઉમર ૪૫) રહે.સીસમ સીરામીક પાસે પીપળી રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે જે તે સમયે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ ઝાપડિયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી હતી.

 






Latest News