મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી
SHARE
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી હતી તેમાં કોલેજના આચાર્ય દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. આર.કે. વારોતરીયા તથા પ્રોફેસર જે.એમ. કાથડ ઉપસ્થિત રહ્યા હતા. અને એન.એસ.એસ.ના સ્વયંમસેવકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પાલિયિ જિજ્ઞાસાએ તથા આયોજન કૃપાલી સંચાણિયાએ કર્યું હતું સૌ પ્રથમ ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં કૃપાલી સંચાણિયા, પાલિયા જિજ્ઞાસા, રતન કોમલ, રતન કાજલ અને વાડોલિયા ધ્રુપ્તિ દ્વારા વાદ્યો સાથે એન.એસ.એસ.નું લક્ષ્ય ગીત રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાગરગીરી ગોસાઈ, કુંભરવાડીયા નિખિલ અને બેરાણી સાગર દ્વારા વાદ્યો સાથે કવિતા અને અલગ અલગ ગીત રજુ કરવામાં આવ્યા હતા. તો કૃપાલી સંચાણિયા, વાડોલિયા ધ્રુપ્તિ, રતન કાજલએ લગ્ન ગીત રજુ કરેલ હતા ત્યારબાદ આચાર્ય દ્વારા સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવવામાં હતી અને એનએસએસ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અંતે કુંભરવાડીયા નિખિલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.