વાંકાનેર નજીક લોખંડની એંગલમાં બુલેટ અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત
મોરબીમાં જુદાજુદા ગણેશોત્સવમાં સંતવાણી-બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન
SHARE
મોરબીમાં જુદાજુદા ગણેશોત્સવમાં સંતવાણી-બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન
મોરબીના વાઘપરા ખાતે ગ્રુપ ઓફ ગજાનંદ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બુધવારે રાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાત્રે ૯ વાગ્યે વાઘપર શેરી નં-૧૧ ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક રામદાસ ગોંડલીયા અને લલીતાબેન ઘોડાદ્રા ભજનની જમાવટ કરશે ત્યારે મોરબીના લોકોને તે કાર્યક્રમ માણવા આયોજકોએ આમંત્રણ આપેલ છે
મોરબીમાં લાયન્સ ક્લબ અને બાલાજી યુવા ગ્રુપ દ્વારા મોરબીના રવાપર અને શનાળા વચ્ચે મહાવીર સોસાયટી પાસે બાલાજી ગણપતિ મહોત્સવ ખાતે આજે તા ૨૭ ન રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવશે ત્યારે ડો. જયેશભાઈ પટેલ (દિશા હોસ્પિટલ) અને ડો. પ્રેયસ પંડ્યા (શિવમ હોસ્પિટલ) સેવા આપશે. તેમજ સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે