આયુષમાન ભવ: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ યોજાયો
SHARE
આયુષમાન ભવ: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા જે. દવેના માર્ગદર્શન હેઠળ આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કેમ્પનો ૧૬૮ લાભાર્થીએ લાભ લીધો હતો આ કાર્યક્રર્મમાં ટંકારના સરપંચ ગોરધનભાઈ ખોંખાણી તેમજ મીડિયા કન્વીનર નીલેશ પટણી, યુવા ભાજપ મહામંત્રી હસુભાઈ દુબરિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભાવીન સેજપાલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવા, અધિક્ષક ડો. દીપ ચીખલિયા, રાજ્ય કક્ષાએથી પ્રોજેક્ટ કોર્ડીનેટર વિશાલ કંઝારીયા, જિલ્લા સુપરવાઇઝર જી.વી.ગાંભવા, વિરજીભાઈ ફેફર, પટેલ હિતેષ સહિતના હાજર રહ્યા હતા