મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે: મોરબીમાં માનસ શ્રદ્ધાંજલી કથામાં મોરારી બાપુની માર્મિક ટકોર, કાલે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે


SHARE







સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે: મોરબીમાં માનસ શ્રદ્ધાંજલી કથામાં મોરારી બાપુની માર્મિક ટકોર, કાલે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે

મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા શરૂ થયેલ છે આ કથાની પોથીઓનું પુજન ઝૂલતા પુલના દિવંગતોના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યુ હતુ જો કે, પહેલા દિવસે મોરારીબાપુએ કહ્યું હતું કે માનસ શ્રદ્ધાંજલી કથા નામ આપ્યું હતું અને કહ્યું હતું કે, રાજકીય આગેયનો દ્વારા તેનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતુ તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે તેઓએ એવું પણ કહ્યું હતું કે,એ રવિવારે તેઓ મોરબીમાં હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા ઝુંબેશમાં પણ જોડાશે

આજથી ૧૧ મહિના પહેલા ઝૂલતાપૂલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના અવસાન થયા હતા જે દિવગંતોના મોક્ષાર્થે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને તેની ટિમ દ્વારા મોરબીના નાની વાવડી ગામે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો કથાના શ્રવણ માટે આવ્યા હતા ત્યારે કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, મંત્રી રાઘવજીભાઇ પટેલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ કન્નીરામ બાપુ, કન્કેશ્વરી માતાજી, દામજી ભગત, ભાવેશ્વરી માતાજી, અવધકિશોર બાપુ સહિતના સંતો મહંતો આવ્યા હતા ત્યાર બાદ મોરારી બાપુકથાનો પ્રારંભ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મના રક્ષણ માટે શાલ નહીં મશાલની જરૂર છે જેથી બધા જ સનાતન ધર્મની રક્ષા માટે જાગૃત રહીએ તેવું પણ કહ્યું હતું આટલું જ નહીં આ કથાને માનસ શ્રદ્ધાંજલી કથા નામ આપ્યું હતું અને યજમાન સહિતના મંત્રીઓએ તેમનું શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છેવધુમાં એવું પણ કહ્યું હતું કે,એ રવિવારે તેઓ મોરબીમાં અડધા કલાક સુધી સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે તેઓ પણ હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશ






Latest News