ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે: મોરબીમાં માનસ શ્રદ્ધાંજલી કથામાં મોરારી બાપુની માર્મિક ટકોર, કાલે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે


SHARE













સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે: મોરબીમાં માનસ શ્રદ્ધાંજલી કથામાં મોરારી બાપુની માર્મિક ટકોર, કાલે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે

મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા શરૂ થયેલ છે આ કથાની પોથીઓનું પુજન ઝૂલતા પુલના દિવંગતોના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યુ હતુ જો કે, પહેલા દિવસે મોરારીબાપુએ કહ્યું હતું કે માનસ શ્રદ્ધાંજલી કથા નામ આપ્યું હતું અને કહ્યું હતું કે, રાજકીય આગેયનો દ્વારા તેનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતુ તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે તેઓએ એવું પણ કહ્યું હતું કે,એ રવિવારે તેઓ મોરબીમાં હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા ઝુંબેશમાં પણ જોડાશે

આજથી ૧૧ મહિના પહેલા ઝૂલતાપૂલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના અવસાન થયા હતા જે દિવગંતોના મોક્ષાર્થે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને તેની ટિમ દ્વારા મોરબીના નાની વાવડી ગામે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો કથાના શ્રવણ માટે આવ્યા હતા ત્યારે કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, મંત્રી રાઘવજીભાઇ પટેલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ કન્નીરામ બાપુ, કન્કેશ્વરી માતાજી, દામજી ભગત, ભાવેશ્વરી માતાજી, અવધકિશોર બાપુ સહિતના સંતો મહંતો આવ્યા હતા ત્યાર બાદ મોરારી બાપુકથાનો પ્રારંભ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મના રક્ષણ માટે શાલ નહીં મશાલની જરૂર છે જેથી બધા જ સનાતન ધર્મની રક્ષા માટે જાગૃત રહીએ તેવું પણ કહ્યું હતું આટલું જ નહીં આ કથાને માનસ શ્રદ્ધાંજલી કથા નામ આપ્યું હતું અને યજમાન સહિતના મંત્રીઓએ તેમનું શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છેવધુમાં એવું પણ કહ્યું હતું કે,એ રવિવારે તેઓ મોરબીમાં અડધા કલાક સુધી સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે તેઓ પણ હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશ






Latest News