મોરબીના ટીંબડી પાટીયા પાસે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ કબ્જે
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કન્વેર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કન્વેર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એમસર સીરામીક કારખાનામાં બોરમિલમાં માટી ભરાઈનું કામ કરતી વખતે કન્વેર બેલ્ટમાં મજૂરી યુવાનનો હાથ આવી ગયો હતો જેથી કરીને તેને ખભા અને ગરદનની પાછળના ભાગમાં ઇજા થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને ખાનગી ગાડીમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર એમસર સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકામસિંગ જીતુભાઈ સેવાલિયા જાતે આદિવાસી (૪૦) નામનો યુવાન કારખાનામાં માટી ખાતામાં બોર મીલ ભરાઈનું કામ કરતો હતો તે વખતે કન્વેર બેલ્ટમાં માટી નાખતા સમયે તેનો હાથ અકસ્માતે કન્વેર બેલ્ટમાં આવી જતા જમણા હાથના ખભા અને ગરદન પાસે ગંભીર ઇજા થઇ હોવાથી તેને ખાનગી ગાડીમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે
મારમાર્યો
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રજીયાબેન પરવેશભાઈ મોદી (૩૨) નામની મહિલાને બે દિવસ પહેલા રાજકોટના જિલ્લા ગાર્ડન પાસે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને ઇજા થઈ હતી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી









