મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્રએ નવો મોબાઈલ લેતા નાસ્તો કરવા જતાં સમયે અકસ્માતમાં યુવાનનું મોત


SHARE















વાંકાનેરમાં મિત્રએ નવો મોબાઈલ લેતા નાસ્તો કરવા જતાં સમયે અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરમાં યુવાને નવો મોબાઈલ લીધા બાદ મિત્રો સાથે નાસ્તો કરવા માટે ચાર યુવાનો કારમાં જતાં હતા ત્યારે કાર ટ્રકમાં પાછળના ભાગે ઘૂસી ગઈ હતી જેથી કાર ચલાવી રહેલ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનની સામે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા શાહરુખભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ જાતે મુસ્લિમ (૨૩)એ હાલમાં કાર ચાલક મૃતક સમીરભાઈ અનવરભાઈ સરવદી (૨૪) રહે. ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ તથા અમીન અલીભાઈ ભાણું, અહેમદ અનવરભાઈ ભાણું રહે. બંને ભાટિયા સોસાયટી વાંકાનેર તથા મૃતક સમીરભાઈ અનવરભાઈ સરવદી ચારેય વ્યક્તિઓ કાર નંબર જીજે ૨૧ એકયું ૬૮૪૫ લઈને અમીને નવો મોબાઈલ લીધો હોવાથી નાસ્તો કરવા માટે વાંકાનેર નજીક કેરાળાના બોર્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રક નંબર જીજે ૩૬ ટી ૧૯૫૨ માં કારચાલક સમીરે પાછળથી કાર અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સમીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને કારમાં બેઠેલ ફરિયાદી સહિતના ત્રણ વ્યક્તિને ઇજા થવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને મૃતક યુવાનની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


બાળક સારવારમાં
ટંકારા તાલુકાના ઘુનડા ગામે ખીમાં બાપાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ નાયકાનો ચાર વર્ષનો દીકરો કાર્તિક વાડી વિસ્તારમાં હતો ત્યારે ત્યાં તેને વીંછી કરડી જતા તે બાળકને ઝેરી અસર થઈ હતી જેથી તાત્કાલિક તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડાએ કરી હતી

મહિલા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડી વિસ્તારમાં રહેતા રીનાબેન ચંદુભાઈ ભીલ (૩૫) નામની મહિલા વાડી વિસ્તારમાં હતી ત્યારે સાપ કરડી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News