મોરબીના નવા ખારચીયામાં દારૂની ૬૩૮ બોટલ-લાલપર પાસે કારખાનામાંથી ગાંજો પકડાયો
મોરબી : સરકારી કર્મચારીની હડતાલ ઉપર પ્રતિબંધ મુકવા માંગ
SHARE
મોરબી : સરકારી કર્મચારીની હડતાલ ઉપર પ્રતિબંધ મુકવા માંગ
મોરબીના જાગૃત નાગરીક તથા અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીતમા રજુઆત કરીને માંગ કરેલ છે કે, સરકારી કર્મચારીઓ દ્વારા વારંવાર જે હડતાલો કરવામાં આવે છે તેના ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ.કારણ કે છાસવારે વિવિધ વિભાગના કર્મચારીઓ હડતાલ પાડે છે જેના લીધે વિના વાંકે લોકોના કામ અટકી પડતાં હોવાથી લોકોને મુશ્કેલી સર્જાય છે માટે કર્મચારીઓ દ્રારા પાડવામાં આવતી હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
ગુજરાતમાં વારંવાર હડતાલો પડે છે અને વિવિધ વિભાગના કર્મચારીઓ આંદોલન કરે છે જેની અસર સીધી પ્રજા ઉપર થાય છે અને જાહેર જનતા હેરાન પરેશાન થાય છે તેમજ દરેક ખાતાની યુનીયન પ્રથા પણ રદ કરવી જોઈએ જેથી કર્મચારી સીધી રજુઆત કરી શકે છે અન્ય રાજયમાં આવી હડતાળ કે આંદોલન ઉપર પ્રતિબંધ છે જેથી ત્યાં પ્રજાને કોઈજાતની તકલીફ પડતી નથી ગુજરાતમાં જેમ પોલીસ યુનીયન રદ કરેલ છે તેમ દરેક સરકારી બોર્ડ નિગમમા યુનીયનો રદ કરવા જોઈએ તેમજ તહેવાર સમયે જ કર્મચારીઓ સરકારનું નાક દબાવે છે જેને લીધે પ્રજા હેરાન થાય છે અને આવા કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ જેથી તેની આંખ ઉઘડે ગુજરાતમાં છાસવારે આંદોલન ચાલુ હોય છે.જેમ કે મધ્યાન ભોજન, આંગણવાડી, એસ.ટી.નિગમ, સસ્તા અનાજની દુકાનો આવા અસંખ્ય આંદોલન થાય છે જેનો સરકારે પશ્નો સાંભળીને નિકાલ કરવો જોઈએ અથવા તેના ઉપર કડક પગલા લેવાનો સમય પાકી ગયેલ છે. કર્મચારી છે તે સરકારના હાથપગ છે તેમા પણ ધ્યાન દેવુ જરૂરી છે અને તેમની માંગણી નિયમોનુસાર સ્વીકારીવી જોઈએ અથવા નિયમ વિરૂધ્ધ હોય તો તેના ઉપર પગલા પણ લેવા જોઈએ પરંતુ હડતાલ પાડીને આવી રીતે પ્રજાને બાનમાં લેવી તે યોગ્ય નથી જો આ બાબતે સરકાર ધ્યાન નહી આપે તો પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ ઉડી જશે અને કર્મચારીને છૂટો દોર મળશે કે ગમે ત્યારે આંદોલનનું રણીશીંગુ ફુકશે જે વ્યાજબી નથી આ બાબતે સરકાર વહેલી તકે પગલા લેવા જોઇએ તેવી માંગણી અહિંના પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને કરેલ છે.