વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો


SHARE













મોરબી ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો

હાલના કેસની ટૂંકી હકીકત એ છે કે, ફરિયાદી અને તેનો મિત્ર મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારે પાસેથી પસાર થઇને ફરિયાદીને અપશબ્દો કહીને મારામારી કરી ફરિયાદીની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, તથા આરોપીએ ફરિયાદીને પથ્થર વડે માર્યો હતો અને તેના બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું તેથી ફરીયાદીએ ભારતીય દંડ સંહિતાની કલમ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવેલ.જે કામે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીએ આ કેશમાં બચાવ કરવા મોરબીના યુવા વકીલ જે.ડી.સોલંકીને રોકેલ હતા

આ કેસ મોરબીના ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટમાં ચાલેલ અને આ કેસમાં ફરિયાદી, સાહેદો, પંચો તથા તપાસ કરનાર અધિકારીનો પુરાવો લેવામાં આવેલ તમામ પુરાવા પૂરો થતાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદીએ કે સહેદોએ ફરિયાદને સમર્થન થાય એવો પુરાવો આપેલ નથી પંચો પંચનામા બાબતે કશું જાણતા નથી.પોલીસ દ્વારા જે પુરાવાઓ એકત્રિત કરેલ તે પુરાવાઓથી આ કેસ સાબિત થતો ન હોય ફરીયાદ પક્ષ દ્વારા કેસ વ્યાજબી શંકાથી આગળ સાબિત કરી શકેલ ન હોય.જેથી આરોપીને નિર્દોષ છોડવા બચાવ પક્ષના યુવા વકીલ જે.ડી.સોલંકીએ કાયદાકીય દલીલ કરેલ. બચાવ પક્ષે કરેલ દલીલ માન્ય રાખી મોરબીના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને આ કેસમાં નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News