મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ
Breaking news
Morbi Today

લૌકીકે આવવું છે ? તેમ પૂછતા મોરબીમાં બનેવી ઉપર સાળા સહિત બે લોકોએ હુમલો કર્યો


SHARE













મોરબીમાં 'લૌકીકે આવવું છે..?' તેમ પૂછતા બનેવી ઉપર સાળા સહિત બે લોકોએ હુમલો કરતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાટર પાસેના ઇન્ડીયા નળીયાના કારખાનાની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જ્યાં ઇન્ડિયા ટાઇલ્સ નામના કારખાના પાસે બનેલ મારામારીના બનાવમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જેમાં સામે આવ્યું હતું કે ઈજા પામેલા યુવાનના પિતાએ તેમના સાળાને લૌકિક પ્રસંગે આવું છે..? તેમ પુછ્યુ હતું અને તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા યુવાન તથા તેના પિતા અને ભાઈને માર મારવામાં આવ્યો હતો.

વધુમાં જાણવા મળેલ વિગતો પ્રમાણે લીલાપર રોડ ઉપર આવેલા ઇન્ડિયા ટાઇલ્સ નામના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભોજાભાઇ સીતાપરા તથા તેમના પુત્ર મેહુલ ભોજાભાઇ સીતાપરા (૨૫) અને અનિલ સીતાપરાને ઇજાઓ પહોંચી હતી.જે પૈકી મેહુલને વધુ ઇજાઓ થઈ હોય તેને રાજકોટ લઈ જવા આવ્યો હતો.આ મારામારીમાં સામેના પક્ષના દેવશીભાઈ નાનજીભાઈ અગેચાણીયા (૩૮) રહે.લીલાપર રોડ વાળાને પણ ઇજા થઈ હોય તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં ઇજા પામેલા મેહુલ સીતાપરા પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે તેમના પિતા ભોજાભાઇએ સામેવાળા દેવશીભાઈ કે જેઓ ભોજાભાઇના સાળા થાય છે તેને લૌકીકે જવાનું હોય લૌકીકે આવવું છે ? તેમ પૂછ્યું હતું ત્યારે અમારે ત્યાં સંબંધ નથી તે વાતે બોલાચાલી થઈ હતી અને બાદમાં દેવશી અને રણછોડ નામના બે લોકોએ ભોજાભાઇ તથા તેમના પુત્ર મેહુલ અને અનિલને લાકડાના ધોકા તથા લોખંડની એંગલ વડે માર માર્યો હતો.

શોભેશ્વર રોડ મારામારી

મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્વર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં હેમલ સોસાયટી વિસ્તારમાં રહેતા ચતુરભાઇ બચુભાઈ પાટડીયા જાતે કોળી નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના ગુંગણ ગામે વાડી વિસ્તારમાં કામ દરમિયાન મંજીલાબેન મહેશભાઈ નામની ૩૩ વર્ષીય મજૂર મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં પરાક્રમસિંહ જાડેજા દ્વારા તેણીને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને તે બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News