Morbi Today
મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ
SHARE
મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ
સમગ્ર સમાજ માટે પ્રેરણા સમાન સ્વ.શ્રી ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમીતે સમગ્ર સૌરાષ્ટ્રમા મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે ત્યારે દેહદાન સંકલ્પના કેમ્પ નિમીતે પાટીદાર સમાજના ભામાશા અને અનેક સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ)એ દેહદાન કરવાનો સંકલ્પ કરવામા આવેલ છે અને દેહદાનનો સંકલ્પ કરનાર ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યુ હતું કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે તેવા પ્રેરણામુર્તિ ઓ.આર.પટેલની પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી છે જેથી કરીને તેમણે સંકલ્પ કરેલ છે









