હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની હવે ૨૭ મી એ સુનાવણી


SHARE















મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની હવે ૨૭ મી એ સુનાવણી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ જામીન મુક્ત થયેલ છે જો કેઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા વકીલ મારફતે હાઇકોર્ટમા વચગાળાના જામીન માટે અરજી મુકેલ છે જેમાં આગામી ૨૭ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીઓ અત્યાર સુધીમાં હાઇકોર્ટમાંથી જામીન મુક્ત થયેલ છે અને હાલમાં બાકીના આરોપીઓ મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે હાઇકોર્ટમા વકીલ મારફતે અરજી કરેલ છે જેમાં આજે મુદાત પડી હોવાની માહિતી મળી રહી છે અને આ જામીન અરજી માટે આગામી તા ૨૭ મી ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળેલ છે 






Latest News