મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે
મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની હવે ૨૭ મી એ સુનાવણી
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની જામીન અરજીની હવે ૨૭ મી એ સુનાવણી
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ જામીન મુક્ત થયેલ છે જો કે, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા વકીલ મારફતે હાઇકોર્ટમા વચગાળાના જામીન માટે અરજી મુકેલ છે જેમાં આગામી ૨૭ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે
મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીઓ અત્યાર સુધીમાં હાઇકોર્ટમાંથી જામીન મુક્ત થયેલ છે અને હાલમાં બાકીના આરોપીઓ મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે હાઇકોર્ટમા વકીલ મારફતે અરજી કરેલ છે જેમાં આજે મુદાત પડી હોવાની માહિતી મળી રહી છે અને આ જામીન અરજી માટે આગામી તા ૨૭ મી ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળેલ છે