મોરબીના લજાઈ ગામે યોજાયેલ નાટકમાં દાતાઓ ગૌસેવા માટે વરસી ગયા: ગૌશાળા માટે ૧૨ લાખનું દાન મળ્યું
મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી
SHARE
મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી
વર્તમાન સમયમાં અર્વાચીન રાસ ઉત્સવમાં ગરબા લેવા જતા ખેલૈયાઓ પાસેથી તોતિંગ ફી વસવામાં આવતી હોય છે જોકે મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મેગાસિટીની જેમ નાના નાના શહેરોમાં પણ અર્વાચીન રસોત્સવના મોટા મોટા આયોજનો કરવામાં આવે છે અને તેમાં બહારથી કલાકારો બોલવામાં આવતા હોય છે જોકે ત્યાં ગરબા રમવા માટે આવતા ખેલૈયાઓ પાસેથી તોતિંગ ફી લેવામાં આવતી હોય છે આવા સમયે મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ જ્ઞાતિના બહેનો ગરબે ઘૂમી શકે તે માટે થઈને અર્વાચીન રાસોત્સવમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે આ વર્ષે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. અહી બહેનો સહિતના અર્વાચીન ગરબાની રમઝટ બોલાવે છે વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, દરેક સમાજની બહેનો મુક્તપણે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે. અને તમામ જ્ઞાતિની બહેનો સંકલ્પ નવરાત્રીમાં વિનામૂલ્યે રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે.