મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

વાંકાનેરની પંચાસીયા દુધ ઉતપાદક મંડળીના પ્રમુખ-મંત્રી સામે વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE













વાંકાનેરની પંચાસીયા દુધ ઉતપાદક મંડળીના પ્રમુખ-મંત્રી સામે વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેર તાલુકાની પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી અને પ્રમુખ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલબાગમાં બ્લોક નં.બી-૧/૬, ક્વાર્ટર નં.૩૧ માં રહેતા ભરતભાઇ બીજલભાઇ ડાંગર જાતે આહીર (૩૩) એ હાલમાં પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયા અને પ્રમુખ નજરુદીનભાઇ અમીભાઇ ખોરજીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી. માં વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ તથા ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષમા પંચાસીયા સહકારી દુધ ઉત્પાદક મંડળીના મંત્રી સમીર હુસેનભાઇ માથકીયાએ પશુઓના રાજદાણ બગડી ગયેલ હોય જેની ૬૦૦૦૦ ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવી ઉચાપત કરાવી હતી અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા સંસ્થાના પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયાને અધિકૃત કરવામા આવેલ હતા પરંતુ પ્રમુખે મંત્રીની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને પોતાની ફરજ બજાવેલ નથી જેથી મંડળીના પ્રમુખ તથા મત્રીએ ૬૦,૦૦૦ ની નાણાકીય ઉચાપત કરી વહીવટીમાં ગેરરીતી કરી ઠગાઇ કરી વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને હાલમાં સિનિયર કલાર્કે નોંધાવેલ ફરિયાદ મુજબ પોલીસે આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ  ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News