મોરબી: નોરતામાં ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યા સેવા કાર્યો
SHARE
મોરબી: નોરતામાં ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યા સેવા કાર્યો
નવરાત્રીના નવલા પવિત્ર દિવસોમાં મોરબીના જાણીતા ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી.જેમા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી હતી.તેમજ છ જરૂરીયાતમંદ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ-રાશન કીટ આપવામાં આવી હતી.ચથા ત્રણ રાશન કીટ વેજલપર ગામે, એક-એક કીટ ખાખરેચી કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી હતી.આ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના વરિષ્ઠ અને યુવા સભ્યોની હાજરી હતી અને તેમના હસ્તે આપવામાં આવી અને નવરાત્રીના પાવનકારી દિવસમાં માતાજીના આશીર્વાદ લઇને આ સેવાકીય કાર્ય ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યુ હતુ તેમ પ્રમુખ દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.