મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

કાર્યકર્તાના હર્દય સમાન કાર્યાલયનું મોરબીમાં સી.આર.પાટિલના હસ્તે ખાતમુર્હત : ૧૩ કરોડના ખર્ચે ત્રણ માળનું બનશે કમલમ્ 


SHARE













કાર્યકર્તાના હર્દય સમાન કાર્યાલયનું મોરબીમાં સી.આર.પાટિલના હસ્તે ખાતમુર્હત : ૧૩ કરોડના ખર્ચે ત્રણ માળનું બનશે કમલમ્ 


મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનારા છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આજે તા.૧૯ ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આશરે ૧૮,૦૦૦ સ્ક્વેર ફૂટમાં રૂા.૧૩ કરોડની કિંમતે ત્રણ માળના નવા બનનારા કમલમ કાર્યાલયનું આજે મોરબી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.આ તકે પ્રાસંગિક પ્રવચનમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કાર્યાલયએ ભાજપના કાર્યકર્તાઓ માટે હૃદય સમાન હોય છે માટે ભવ્ય કાર્યાલય બને તેમજ દરેક કાર્યકરને એમ લાગે કે આ મારૂ કમલમ્ છે તે માટે સૌ કોઈ સહયોગ કરે તેવી તેઓએ ભાવના વ્યક્ત કરી હતી.

રાજ્યના દરેક જીલ્લામાં કમલમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં જીલ્લો બન્યાને નવમાં વર્ષે ભાજપનું કમલમ્ કાર્યાલય બનાવા.ઝઇ રહ્યુ છે જેનું આજે સી.આર.પાટીલે ખાતમુર્હત કર્યુ હતુ.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આજે તા.૧૯ ના રોજ જીલ્લા ભાજપના કમલમ્ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવાડિયા, મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઇ ચોધારી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જયુભા જાડેજા, દિલુભા જાડેજા, હીરાભાઈ રબારી, દેવાભાઈ અવાડિયા, નિર્મલભાઇ જારીયા, મગનભાઈ વડાવીયા, ચંદુભાઈ સિહોરા, હસુભાઈ પંડ્યા રીષીપભાઇ કૈલા, ભાવેશભાઇ કંઝારીયા, દશરથસિંહ (શક્તિ વંદના), પ્રકાશભાઈ ચબાડ, દીપકભાઈ પોપટ તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઈ પટેલ અને વિનોદભાઇ ભાડજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવના મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી.જિલ્લાના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ હતું કે, મોરબીમાં જિલ્લા ભાજપમાં કમલમ કાર્યાલયનું નિર્માણ ૧૮,૦૦૦ ફૂટ જગ્યામાં ત્રણ માળનું રૂા.૧૩ કરોડના ખર્ચે બનશે.જેમા અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમનું ભવ્ય બિલ્ડીંગ બનશે તેમાં કોન્ફરન્સ હૉલ સહિતની તમામ સુવિધાઓ રાખવામા આવશે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજે ૫૦૦૦ થી વધુ કાર્યકરો ઉમટી પડયા હતા






Latest News