ટંકારા તાલુકાના ભાજપના કાર્યકર્તા સહિત ઘણા લોકોના મોરબી કમલમના ખાતમુહૂર્ત સમયે ખિસ્સા કપાયા
SHARE
ટંકારા તાલુકાના ભાજપના કાર્યકર્તા સહિત ઘણા લોકોના મોરબી કમલમના ખાતમુહૂર્ત સમયે ખિસ્સા કપાયા
મોરબીના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં શનાળા પાસે કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ૭૦૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ આવ્યા હતા ત્યારે ખિસ્સા કાતરુ ગેંગ પણ આવી હોય તેવી શક્યતા છે કેમ કે, વીસ જેટલા લોકોના ખિસ્સા કપાયા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહયું છે અને ટંકારા તાલુકાના ભાજપના કાર્યકર્તાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેનું ખિસ્સું કપાયું હોવાની લેખિત ફરિયાદ આપેલ છે.
મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવાનું હતું જેથી જિલ્લાના દરેક તાલુકામાંથી ભાજપના કાર્યકર્તાઓ, હોદેદારો અને આગેવાનો આવ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરું ગેંગ પણ ત્યાં આવી હતી અને કેટલાક કાર્યકર્તાઓના ખિસ્સા કયાપા હોવાની ચર્ચા ચાલી રહી છે તેવામાં ટંકારા તાલુકાના દેવળીયા ગામના દિલીપભાઈ છગનભાઇ ઘોડાસરાએ તેનું ખિસ્સા કપાયું હોવાની લેખિત ફરિયાદ મોરબી એ ડિવિઝનમાં આપેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી જમવાની લાઈનમાં ઉભા હતા ત્યારે તેનું પાકીટ ખિસ્સામાંથી કાઢી લેવામાં આવેલ છે જેમાં રૂપિયા પાંચ હજાર હતા અને જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા