મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતનાં સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા રજૂઆત


SHARE













મોરબી સહિત ગુજરાતનાં સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા રજૂઆત

ગુજરાત ભરમાં હિમોફીલિયાના દર્દીઓ માટે થઈને જરૂરી ઇન્જેક્શન તદ્દન ફ્રી આપવાની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી જોકે છેલ્લા દોઢક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ ઇન્જેક્શન ન હોવાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા રાજકોટના સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવતા સાંસદ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે થઈને રાજ્યના આરોગ્ય મંત્રીને ભલામણ પત્ર લખવામાં આવેલ છે

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાગજીભાઈ પરમાર દ્વારા હાલમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૧ માં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં હિમોફિલિયાના દર્દીઓ માટે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ફેક્ટર (ઇન્જેક્શન) ફ્રી માં શરૂ કર્યા હતા જોકે ત્યારથી અત્યાર સુધી તે વ્યવસ્થા સારી રીતે ચાલુ હતી પરંતુ હમણાં છેલ્લા દોઢેક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ અધિકારીઓની અણધણ વહીવટના કારણે ફેક્ટર (ઇન્જેક્શન) ઉપલબ્ધ થતા નથી અને દર્દીઓ માટે આ ઇન્જેક્શન જીવન રક્ષક છે જેથી કરીને હિમોફીલિયાના દર્દીઓ માટે ગુજરાતના તમામ દર્દીઓના હિતમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જેને ધ્યાનમાં રાખીને હાલમાં મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને પત્ર લખીને દર્દીના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તેને ભલામણ પત્ર લખ્યો છે






Latest News