મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો


SHARE







હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીની હોત્લ્માંથી માદક પદાર્થ પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૯,૯૯૩ નો જથ્થો મળી આવ્યો હતો જેથી તેની સામે ગુનો નોંધાયો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને તેને જામીન મુક્ત કરવામાં આવેલ છે

હળવદ તાલુકામાં આવેલ બાબા રામદેવ હોટલમાં રેઈડ કરી હતી ત્યારે પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૯,૯૯૩ નો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ મળી આવ્યો હતો જેથી હળવદ પોલીસે આરોપીની અટક કરી હતી અને મોરબી સ્પે. કોર્ટમાં રીમાંડ સાથે ૨જુ કરતા આરોપીના રીમાંડ મંજુર કર્યા હતા ત્યાર બાદ તેને જેલ હવાલે કરેલ હતી જે આરોપીના વકીલ જીતેન અગેચાણીયા મા૨ફતે જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરવામાં આવી હતી જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે, “આવો કોઈ ગુનો કરેલ નથી. આરોપી હાલ મોરબી જીલ્લાના વતની છે. કયાય નાશી ભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા આમ બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપીના વકીલ જીતેન અગેચાણીયાની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ૫૨ છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાજે.ડી.સોલંકીએમ.આર. ગોલતરહીતેશ પરમારરવી ચાવડાકુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News