મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી


SHARE







હળવદના સુસવાવ ગામે ખેતરમાંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા સૂસવાલ ગામે સિમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી યુવાનની એકાદ સપ્તાહ પૂર્વેની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પોલીસ મથકની હદમાં આવતા સુસવાવ ગામે સીમ વિસ્તારમાં રામજીભાઈ પુનાભાઈ કણજારીયા જાતે દલવાડીની કાંઠ નામની વાડીમાંથી કોહવાયેલ હાલતમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી.હાલ લાશ કોહવાઈ ગયેલ હોય લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.તપાસ અધિકારી પીએસઆઇ આર.બી.ટાપરીયા સાથે વાત કરતાં તેમના જણાવ્યા પ્રમાણે, લાશ એકાદ સપ્તાહ પૂર્વેની હોઇ અને કોહવાયેલી હાલતમાં હોય મૃતકની ઓળખ હાલમાં થયેલ નથી અને ઓળખ મેળવવા તેમજ મોતના કારણ અંગે જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે.હાલ મૃતદેહ પાસેથી મૃતકના ઓળખ થાય તેવી કોઇ વસ્તુ ન મળેલ હોય તેમજ મૃતકે કાળા કલરના પેન્ટ-શર્ટ પહેરેલ છે અને આશરે ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.યુવાનનું મોત કુદરતી કારણોસર થયેલ છેકે અન્ય કોઇ અઘટીત બનાવ બનેલ છે..? તે અંગે વધુ તપાસ પીએસઆઇ ટાપરીયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા ગુલમામદભાઇ હુસેનભાઇ લોલાડીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધ જેલ રોડ ઉપર આવેલ સદભાવના હોસ્પિટલ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં બાઈક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા ગુલમામદભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ખાખરાડા ગામે રહેતા અરજણભાઈ આલાભાઇ વણોલ નામના ૭૫ વર્ષીય વૃદ્ધ ગામમાંથી પરત ઘરે પોતાની સાઇકલ લઇને જતા હતા ત્યારે ખાખરાડા ગામે કાદવ-કીચડ લીધે તેઓ સાયકલમાંથી પડી ગયા હતા જેથી કરીને અરજણભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા છે તેમ પોલીસે જણાવ્યુ હ






Latest News