આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 


SHARE













મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 

મોરબીમાં નૂતન વર્ષે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ઉમા સંસ્કારધામ (સમાજની વાડી) લજાઈ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ, ઉમા ક્લિનિક, ઉમા લેબ. દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૪ ને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે આ સ્નેહમિલન યોજાશે.

મોરબીના પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી અને ત્રબંકભાઈ ફેફરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના તમામ પાટીદારોનું સ્નેહમિલન કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાઈ રહ્યું છે અને નૂતન વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે સૌને સમુહમાં મળવાનો અવસર છે. ત્યારે સ્નેહમિલનમાં તમામ પાટીદારોને આવવા માટે  આહ્વાન કરવામાં આવ્યું છે અને આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા સૌ સાથે મળીને હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યોની સાથે સમાજ ઉત્થાનનો સંકલ્પ કરીએ. ઉમા સંગઠન સમિતીની રચના કરી સૌ સાથે મળીને સંગઠનના સભ્યો બનીને નોંધણી કરાવી સમાજ પ્રત્યે ઋણ અદા કરીએ તેવી લાગણી આયોજકોએ વ્યક્ત કરેલ છે






Latest News