રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 


SHARE









મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 

મોરબીમાં નૂતન વર્ષે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ઉમા સંસ્કારધામ (સમાજની વાડી) લજાઈ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ, ઉમા ક્લિનિક, ઉમા લેબ. દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૪ ને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે આ સ્નેહમિલન યોજાશે.

મોરબીના પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી અને ત્રબંકભાઈ ફેફરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના તમામ પાટીદારોનું સ્નેહમિલન કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાઈ રહ્યું છે અને નૂતન વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે સૌને સમુહમાં મળવાનો અવસર છે. ત્યારે સ્નેહમિલનમાં તમામ પાટીદારોને આવવા માટે  આહ્વાન કરવામાં આવ્યું છે અને આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા સૌ સાથે મળીને હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યોની સાથે સમાજ ઉત્થાનનો સંકલ્પ કરીએ. ઉમા સંગઠન સમિતીની રચના કરી સૌ સાથે મળીને સંગઠનના સભ્યો બનીને નોંધણી કરાવી સમાજ પ્રત્યે ઋણ અદા કરીએ તેવી લાગણી આયોજકોએ વ્યક્ત કરેલ છે






Latest News