વાંકાનેર નજીક ડ્રાઇવરે નશાની હાલતમાં ટ્રક જેગુઆર ગાડીના અથડાવ્યો
મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન
SHARE
મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન
મોરબી નજીકના પંચાસર ગામે રાજપૂત સમાજની વાડીમાં ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા તા. ૧૮ થી ૨૪ સુધી ચાલશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે
પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ આર. ઓઝા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલુ રહેશે અને કથા ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે ગામના લોકો સહિતના લોકોને કથાનો લાભ લેવા માટે આયોજક ગંભીરસિંહ ભુરૂભા ઝાલા તથા અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે
મેલડી મંડળનું આયોજન
મોરબીના જીકીયારી ગામે તા ૧૪ ને મંગળવારે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને જીકીયારી ગામે જ રહેતા નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા જય જોડવારી મેલડી મંડળ રમાડવામાં આવશે. જેથી કરીને આ ધાર્મિક કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે