મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન
SHARE
મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન
અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના સ્નેહ મિલનનો કાર્યક્રમ મોરબીમાં રાખવામા આવેલ છે અને મોરબી જીલ્લા યુવા રાજપૂત સંધ દ્વારા આ કાર્યક્રમ આગામી તા ૧૪ ના રોજ રાખવામા આવેલ છે આ સ્નેહમિલન . ૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ દરમ્યાન રેમન પાર્ટી પ્લોટ, જીલ્લા સેવા સદન પાછળ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખવામા આવેલ છે જેથી કરીને સમગ્ર મોરબી જીલ્લામાં રહેતા તમામ ક્ષત્રીય રાજપૂત સમાજના પરિવારોએ ત્યાં આવવા માટે અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજાની જણાવ્યુ છે
રામ પારાયણ
મોરબીના શનાળા રોડે આવેલ વૈભવનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરભી ગૌશાળાના લાભાર્થે રામ ચરિત માનસ નવાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામ પારાયણનું વ્યાસપીઠ ઉપરથી હરિકાંતદાસજી મહારાજ (સુરભી ગૌસેવા આશ્રમ, હમીરપર) વાળા તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. અને આ કથા દરરોજ બપોરે ૨ થી ૬ સુધી ચાલુ રહેશે આ કથાનું આયોજન પ્રકાશભાઈ કરશનભાઈ બાવરવા અને તેઓના સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને કથા તા ૧૫ ને બુધવારથી ગૌશાળાના લાભાર્થે રામ પારાયણ શરૂ કરવામાં આવશે અને તા ૨૩ ને ગુરૂવારે પૂર્ણ કરવામાં આવશે આ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે