મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન
મોરબીના બગથળા-અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે નાટક યોજાશે
SHARE
મોરબીના બગથળા-અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે નાટક યોજાશે
મોરબીના બગથળા અને અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે જુદાજુદા નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ ગામના લોકો સહિતનાઓને જાહેર અપીલ કરેલ છે
મોરબી નજીકના અણીયારી ગામે નવદુર્ગા શક્તિ મંડળ તથા અણીયારી ગામ સમસ્ત દ્વારા આગામી તા. ૧૩ ને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે સોનબેનની ચૂંદડી નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. અને અણીયારી ગામે આવેલ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં આ બંને નાટક રજૂ કરવામાં આવશે તો મહાન સામાજિક નાટક સોનબેનની ચુંદડી સાથે હાસ્યરસથી ભરપૂર કોમિક નાટક “દીકરો દયારામ” જોવા માટે અને અબોલ જીવો તેમજ ચકલાના ચણના લાભાર્થે કરવામાં આવતા આ બંને નાટકમાં આર્થિક સહયોગ આપવા આયોજકોએ અપીલ કરેલ છે
તો બગથળા ગામમાં આવેલ અંધ અપંગ ગાયોની ગૌશાળા આવેલી છે. તેના લાભાર્થે બગથળા ગામમાં અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ દ્વારા બસ સ્ટેન્ડ ની બાજુમાં તા ૧૨ ના રોજ રાતે ૯ કલાકે રામ રાજ્ય અને નાથા બાપાનો ઘરસંસાર આમ બે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ થી આ ગૌશાળા ચાલુ છે જેમાં યુવાનો અપંગ ગાયોની સેવા કરે છે. આ નાટક ભજવીને જે ભંડોળ એકત્રિત કરવામાં આવશે તે ગાયોના લાભાર્થે જ વાપરવામાં આવશે જેથી કરીને ગૌસેવાના કામ માટે યોજાતા નાટકમાં સહકાર આપવા અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ અને સમસ્ત બગથળા ગામ લોકોને અનુરોધ કરવામાં આવેલ છે