માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી


SHARE













મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમા બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯) અને શુભાંગીબેન ડોડીયા વચ્ચે ઝગડો થયો હતો.શેરીમાં ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે બોલાચાલ તેમજ ઝઘડો થયો હતો.જેમાં બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાને સોંપવામાં આવેલી હોય હાલ તપાસ અધિકારી દ્વારા શુભાંગીબેન પ્રદીપસિંહ પ્રવિણસિંહ ડોડીયા (૨૬) અને હરપાલસિંહ પ્રદીપસિંહ ડોડીયા (૨૪) રહે.બંને મારુતિ પાર્ક સોસાયટી વાળાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારામાં દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામે જયેશભાઈ પ્રભુભાઈ દેત્રોજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ભારતીબેન રાકેશભાઈ ઉદયસિંગ આદિવાસી નામની ૩૦ વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કયા કારણોસર ભારતીબેને ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ તપોવન રેસીડેન્સી ઉત્સવ હાઈટ બ્લોક નંબર ૫૦૧ માં રહેતા હંસાબેન હસમુખભાઈ સંઘાણી નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરે પારિવારિક ઝઘડામાં પતિ દ્વારા ધક્કો લાગી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News