આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકર નગરમાં ચોકમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામ સામે ફરિયાદ


SHARE













વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકર નગરમાં ચોકમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે મારામારી પણ થઈ હતી જે મારામારીમાં ઈજા પામેલ યુવાન સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે સામ સામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (૧૮) એ હાલમાં મુકેશભાઈ મંગાભાઈ સોલંકી, યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જયંતીભાઈ પ્રેમજીભાઈ સોલંકી, પીન્ટુભાઇ મંગાભાઈ સોલંકી, મણીબેન મંગાભાઈ સોલંકી, નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, દિનેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી,, પારસભાઈ જયંતીભાઈ સોલંકી અને તુષારભાઈ જયંતીભાઈ સોલંકી રહે બધા આંબેડકર નગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આંબેડકર નગરમાં ફરિયાદીના ઘર પાસે ચોકમાં આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરિયાદી તથા સાહેદને ઠપકો આપી બોલોચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારે મુકેશભાઈ સોલંકીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને મોઢા તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ બાકીના આરોપીઓએ વારાફરતી ફરિયાદી તથા સાહેદ માનવ વિપુલભાઈ રાઠોડને હાથે પગે ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે મારામારીના આ બનાવ સંદર્ભે સામા પક્ષેથી મણીબેન મંગાભાઈ સોલંકી (૭૫) રહે આંબેડકરનગર વાળાએ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, મીનાબેન ભરતભાઈ રાઠોડ, જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, ટીપુ કાળુભાઈ રાઠોડ, કૌશિક ધીરુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકર નગરવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના ઘર પાછળ ચોકમાં આરોપી જીવણભાઈ રાઠોડ ફટાકડા તેના મિત્ર સાથે ફોડતા હોય જેથી ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડેલ હતી જે બાબતે બોલાચાલી કરી ઝઘડો કરીને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે વારાફરતી આવીને ફરિયાદીને ગાળો આપીને જો તમે અમારી સાથે બોલાચાલી કરશો તો તમને ઠાર મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધી સામસામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News