મોરબીમાં પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચારની ધરપકડ
મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું
SHARE
મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિર પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવાનને તેના પિતાએ કારખાને કામે જવાની ના પાડી હતી જે બાબતે તેને મનમાં લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિરની પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર એલ-૮૪૬ ની અંદર રહેતા આકાશભાઈ મનસુખભાઈ રામાનુજ જાતે બાવાજી (૨૩) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવ અંગે મૃતક યુવાનના પિતા મનસુખભાઈ હરજીવનભાઈ રામાનુજ (૪૯)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આકાશને કારખાને કામે જતો હોય તેના પિતાએ કારખાનામાં કામે જવાની ના પાડતા તેને મનોમન લાગી આવ્યું હતું અને જેથી કરીને તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
મોરબી શહેરમાં આવેલ ખાટકીવાસના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે દોઢસો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને પ્રવીણભાઈ મેરાભાઈ ધંધુકિયા જાતે કોળી (૫૫) રહે રણછોડનગર શેરી નં-૧ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી