રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતના ઈન્ચાર્જ તરીકે નિમણુંક
વાંકાનેરના વઘાસિયા પાસે વૃદ્ધને માર મારીને હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
SHARE
વાંકાનેરના વઘાસિયા પાસે વૃદ્ધને માર મારીને હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજ પામેલા વૃદ્ધને સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયેલ હતો જે ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
વાંકાનેરના વીસીપરા ધમલપર-૨ માં રહેતા લાખાભાઈ ગોરાભાઇ બાંભવા જાતે ભરવાડ (૬૫) એ થોડા દિવસો પહેલા નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર તેમજ અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસો પહેલા આરોપી નથુભાઈ ગોલતરના સગા રૈયાભાઈ ગોલતર સાથે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયેલ હતો અને ત્યારે ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં રૈયાભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જે બાબતનો ખાર રાખીને નથુભાઈ ગોલતર તથા તેની સાથે આવેલા શખ્સોએ ફોરવીલ ગાડી વૃદ્ધના બાઈકની આડે ઊભી રાખી હતી અને લાખાભાઈ બાંભવાને લાકડી વડે શરીર ઉપર આડેધડ હાથે અને પગે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન લાખાભાઈ બાંભવાનું મોત નીપજયું હતુ જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે









