મોરબી એસઓજીએ શંકાના આધારે અટકાવેલા શખ્સની ઉલટ તપાસમાં વાંકાનેરની પાંચ વર્ષ જૂની બાઈક ચોરીનો ભેદ ખુલ્યો
SHARE
મોરબી એસઓજીએ શંકાના આધારે અટકાવેલા શખ્સની ઉલટ તપાસમાં વાંકાનેરની પાંચ વર્ષ જૂની બાઈક ચોરીનો ભેદ ખુલ્યો
મોરબી એસઓજીના સ્ટાફે શહેરના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રસ્તે ફ્લોરા ટાઉનશિપ નજીક આવેલ ડી-માર્ટ નજીકથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરના બાઇક સાથે એક ઇસમને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ ઉલટ તપાસ કરતા તેમાંથી વાંકાનેરની પાંચ વર્ષ જૂની બાઇક ચોરીનો ભેદ ખુલવા પામેલ છે.વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પાંચ વર્ષ પૂર્વે બાઇક ચોરી થયેલ તે ચોરાઉ બાઇક સાથે ચોરી કરનાર ઈસમને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી સ્ટાફે સામાકાંઠે ડી-માર્ટ પાસેના રોડ ઉપરથી એક ઇસમને નંબર પ્લેટ વગરના બાઇક સાથે પકડ્યો હતો અને તેની પૂછપરછમાં તેણે પોતાનું નામ પંકજ રમેશભાઈ સિંચાણાદા (ઉ.વ.૨૧) રહે સોઓરડી મેલડી માતાના મંદિર સામે સામાકાંઠે મોરબી-૨ હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે રહેલ નંબર પ્લેટ વગરના બાઇક બાબતે પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે પોકેટકોપ એપ્લિકેશન વડે સર્ચ કરતા તે બાઇકના એન્જિન-ચેસીસ નંબર આધારે તે બાઈકના નંબર જીજે ૩૬ એન ૩૪૨૩ હોવાનું અને તે બાઈક તેણે પાંચેક વર્ષ પૂર્વે વાંકાનેર દોશી કોલેજ રોડ ઉપરથી ચોરી કર્યુ હોવાની કબુલાત આપી હતી.વાહન ચોરીના બનાવ મામલે તે સમયે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી.હાલ એસઓજી ટીમે આરોપી પંકજ રમેશભાઈ સિંચાણાદા (ઉ.વ.૨૧) રહે.મોરબી વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂા.૨૫ હજાર રીકવર કરી વધુ તપાસ ચલાવી છે.આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અંસારી, રસિકભાઈ કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, શેખાભાઈ મોરી, જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, ભાવેશભાઈ મિયાત્રા, આશીફ્ભાઈ ચાણકીયા, પ્રાણસુરભાઈ ડાંગર, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા અને અંકુરભાઇ ચાંચુ સહિતની ટીમ જોડાયેલ હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના જોધપર નદી ગામે રહેતા પ્રદીપભાઈ વિનુભાઈ સુરેલા (ઉમર ૨૭) અને રંજનબેન વિનુભાઈ સુરેલા (ઉમર ૫૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાગરા દ્વારા નોંધ કરીને બનાવ અંગે તપાસ હાથ ધરાઈ હતી.
એએસિડ પી જતા સારવારમાં
મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતો કરણ ધીરુભાઈ ચૌહાણ નામનો ૨૮ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં કરાયેલી જાણના પગલે તપાસ અધિકારી હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.