મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા
SHARE
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા
મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલી છે. માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, અને મોરબી બ્રાન્ચ.હાલમાં ખેડૂતો દ્વારા રવી પાક માટે વાવેતર કરવામા આવી રહ્યું છે.પરંતુ જીરું, ઘઉં, રાયડો વગેરે પાકને વાવવાનો સમય થઈ ગયો છે. જો સમયસર વાવેતર થાય તો ખેડૂતોને સારો પાક પાકવાની શક્યતા વધી જાય છે. અને જો મોડું વાવેતર થાય તો પાક ૫૦ ટકા થાય છે.
હાલમાં ઉપર મુજબની એક પણ બ્રાન્ચ માં ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી નથી મળી રહ્યું. અને આ પ્રશ્ન લગભગ દરેક વર્ષે થાય છે.ચૂંટાયેલા આગેવાનો ફકત નાટકો કરે છે. અને આ પ્રશ્નનો કોઈ કાયમી નિકાલ થતો નથી.ખેડૂતો મોંઘા ભાવના બિયારણ, લાઈનમાં ઉભા રહીને મેળવેલું ખાતરનો ખર્ચ કરે છે.પણ પાણી ન મળવાથી લાચાર થઇ બેશી રહ્યો છે.જેથી દરેક ખેડૂતો વતી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માગણી કરેલ છે કે આ ખેડૂતો ને તાત્કાલિક પાણી આપવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે .તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી છે.