મોરબીના ચકચારી કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન માટે અરજી
SHARE
મોરબીના ચકચારી કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન માટે અરજી
મોરબીમાં અનુ. જાતિના યુવાનને માર મારીને ચપ્પલ મોઢાવમાં લેવડાવવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને પકડવાની સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે જો કે, આરોપી હજુ પકડાયેલ નથી ત્યા આ ગુનામાં મહિલા સહિત જે પાંચની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે તે પાંચેય આરોપીઓના આગોતરા જામીન મારે મોરબીની કોર્ટમાં અરજી મૂકી દેવામાં આવી છે અને કાલે જ તેનું હિયરિંગ થશે તેવું વકીલ પાસેથી જાણવા મળેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં પગાર લેવા માટે ગયેલા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)ને રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેની યુવાને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે રાયોટિંગ, એટ્રોસીટી, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને ઠેરઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી અને હાલમાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને જે પાંચ આરોપીની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવેલ છે તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકી દેવામાં આવી છે અને આવતીકાલે જ હિયરિંગ થશે તેવું આગોતરા જામીન માટે અરજી મૂકનારા વકીલ પાસેથી જાણવા મળેલ છે