મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી


SHARE













ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી

મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ઉજવણીને યાદગાર બનાવવા માટે ટંકારા ગ્રામ પંચાયત છે તેને નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી છે અને દેશ આખામાં ભવ્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે ઋષિની જન્મભૂમિને યાદગાર ભેટ આપવા લોકોમાં માંગણી ઉઠી છે

વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેમનું જન્મ સ્થાન ટંકારા છે જ્યા મુળ શંકરે પાપા પગલી માંડી દેશ આખામાં વેદ તરફ પાછા ફરોનું સુત્ર આપી અનેક નરબંકાને ભારતની આઝાદી માટે પેરણા આપી જેમણી 200 મી જન્મ જયંતિ જ્ઞાન જયોતી પર્વ તરીકે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહર્ષિના માદરે વતન ટંકારાને આ અવસરને યાદગાર બનાવવા નગરપાલિકાની વર્ષોની માંગ પુરી કરવામા આવે એવી લોક લાગણી જાગી છે. ત્યારે એડવોકેટ યુવા નેતા સંજય ભાગિયાએ જણાવ્યું હતું કે જો ટંકારા નગરપાલિકા મળે તો સુવિધાઓની સરવાણી વહેતી થઈ વિકાસને વેગ મળશે. તો હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમા સ્વચ્છતા અને ટ્રાફિક દબાણનો પશ્ર્ન હલ થઈ શકે છે. તો આદોલનકારી ગપી પાટીદારે જણાવ્યું હતું કે આજે યુવાનો માટે રમવા કોઈ મેદાન નથી કે અંગ કસરત માટે કોઈ સ્થાન સુવિધા પરંતુ નગરપાલિકા મલે તો અનેક લાભ થાય. સ્થાનિક અગ્રણી જગદીશ કુબાવતે જણાવ્યું હતું કે નગરપાલિકા મલે તો ફાયર બ્રિગેડના સાધનો સિટી બસબગિચાબાળ કિંડાગણ સહિતની સવલત મળે ત્યારે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગુરૂ ભુમી ટંકારાને યાદગાર ભેટ આપે એવી લોક લાગણી છે.






Latest News