ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી


SHARE













ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી

મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ઉજવણીને યાદગાર બનાવવા માટે ટંકારા ગ્રામ પંચાયત છે તેને નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી છે અને દેશ આખામાં ભવ્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે ઋષિની જન્મભૂમિને યાદગાર ભેટ આપવા લોકોમાં માંગણી ઉઠી છે

વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેમનું જન્મ સ્થાન ટંકારા છે જ્યા મુળ શંકરે પાપા પગલી માંડી દેશ આખામાં વેદ તરફ પાછા ફરોનું સુત્ર આપી અનેક નરબંકાને ભારતની આઝાદી માટે પેરણા આપી જેમણી 200 મી જન્મ જયંતિ જ્ઞાન જયોતી પર્વ તરીકે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહર્ષિના માદરે વતન ટંકારાને આ અવસરને યાદગાર બનાવવા નગરપાલિકાની વર્ષોની માંગ પુરી કરવામા આવે એવી લોક લાગણી જાગી છે. ત્યારે એડવોકેટ યુવા નેતા સંજય ભાગિયાએ જણાવ્યું હતું કે જો ટંકારા નગરપાલિકા મળે તો સુવિધાઓની સરવાણી વહેતી થઈ વિકાસને વેગ મળશે. તો હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમા સ્વચ્છતા અને ટ્રાફિક દબાણનો પશ્ર્ન હલ થઈ શકે છે. તો આદોલનકારી ગપી પાટીદારે જણાવ્યું હતું કે આજે યુવાનો માટે રમવા કોઈ મેદાન નથી કે અંગ કસરત માટે કોઈ સ્થાન સુવિધા પરંતુ નગરપાલિકા મલે તો અનેક લાભ થાય. સ્થાનિક અગ્રણી જગદીશ કુબાવતે જણાવ્યું હતું કે નગરપાલિકા મલે તો ફાયર બ્રિગેડના સાધનો સિટી બસબગિચાબાળ કિંડાગણ સહિતની સવલત મળે ત્યારે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગુરૂ ભુમી ટંકારાને યાદગાર ભેટ આપે એવી લોક લાગણી છે.






Latest News