મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી


SHARE

















ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપ્રમુખ મનસુખભાઈ રબારી, રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેના મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિઓની મીટીંગમાં ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૮ દિવસમાં શહેરમાં ગાયો ન દેખાવી જોઈએ તેવો નિર્ણય કરેલ છે જે અંગે માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે કેમ કે, માલધારી સમાજની રોજીરોટી છીનવવાની વાત તેમના દ્વારા કરવામાં આવેલ છે જેથી સી.આર. પાટીલ દ્વારા માલધારી સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવાનું બંધ થવું જોઈએ, ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે, વાડાઓને રેગ્યુલાઈઝ કરવામાં આવે, સરકારની રહેમ રાહે ચાલતા કતલખાનાઓ બંધ કરવામાં આવે અને ગૌચરની જમીન પર થયેલા દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો માલધારી સમાજની માંગણીઓ પૂરી કરવામાં આવશે તો ગાયો રોડ પર નહિ આવે તેવી ખાતરી આપી છે




Latest News