મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી


SHARE













ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપ્રમુખ મનસુખભાઈ રબારી, રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેના મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિઓની મીટીંગમાં ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૮ દિવસમાં શહેરમાં ગાયો ન દેખાવી જોઈએ તેવો નિર્ણય કરેલ છે જે અંગે માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે કેમ કે, માલધારી સમાજની રોજીરોટી છીનવવાની વાત તેમના દ્વારા કરવામાં આવેલ છે જેથી સી.આર. પાટીલ દ્વારા માલધારી સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવાનું બંધ થવું જોઈએ, ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે, વાડાઓને રેગ્યુલાઈઝ કરવામાં આવે, સરકારની રહેમ રાહે ચાલતા કતલખાનાઓ બંધ કરવામાં આવે અને ગૌચરની જમીન પર થયેલા દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો માલધારી સમાજની માંગણીઓ પૂરી કરવામાં આવશે તો ગાયો રોડ પર નહિ આવે તેવી ખાતરી આપી છે






Latest News