મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના નીચી માંડલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

સમગ્ર ભારતની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને સાંસદ મોહનભાઈ કુંડારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાના લાભ અને માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં સૌના સાથ અને પ્રયાસથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. વધુમાં તેમણે સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ માહિતી આપી તેનું મહત્વ જણાવ્યું હતું. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ અને યોજનાઓ વિશેની માહિતી લોકોને મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવા પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. વધુમાં તેમણે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના વગેરેના લાભ અને તે યોજનાનો લાભ કેવી રીતે લેવો તે વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ આયુષ્માનકાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જેઠાભાઈ પારઘી, ધનજીભાઈ દંતાલિયા તેમજ નીચી માંડલના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News