મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો
SHARE
મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી ચેક કરવામાં આવ્યું હતું ત્યારેદુકાનદાર કુલદીપભાઈ ગોવિંદભાઇ ડાંગરની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપની બોટલ ત્યાંથી મળી આવી હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૧૨૦ બોટલ નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો જેની કિંમત ૧૮,૦૦૦ નો માલ કબ્જે કર્યો હતો અને આ માલ હિતેશ રાવલ નામના વ્યક્તિએ આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે