મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, મજૂરો ગુમ:  તપાસનો ધમધમાટ


SHARE













માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, મજૂરો ગુમ:  તપાસનો ધમધમાટ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખડૂતની હત્યા કરવામાં આવી છે જેની જાણ તેના જ ભાઈએ માળીયા તાલુકા પોલીસને કરી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક ખેડૂતની ખિસ્સામાંથી રોકડ રૂપિયા, દાગીના તેમજ તેના બાઇકની લૂંટ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે અને ઘટના બની ત્યારથી વાડીના મજૂરો ગુમ હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે પહેલા વાડીએ કામ કરતાં મજૂરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ખેડૂત યુવાન પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ની તીક્ષ્ણ હથિયારના ઘ મારીને હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવની તેના ભાઈ મણિલાલ જાદવજીભાઈ કલારિયા દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે, ગુરુવારની રાતે ખેતરે યુવાનની હત્યા કરી આવી હતી અને ખેતરમાં કામ કરતાં મજૂરો વાડીએ ન હોવાથી તેના ઉપર શંકા છે અને મૃતક ખેડૂત યુવાનના ખિસ્સામાંથી રોકડા ૫૦૦૦૦, અંદાજે પાંચ તોલાનો સોનાનો ચેન અને તેનું બાઇક સ્થળ ઉપર નથી જેથી તેની લૂંટ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે 






Latest News