આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ


SHARE













મોરબીના ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેવા માટે ઓવરબ્રિજ ધડોધડ મંજૂર કરવામાં આવે છે ત્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજની માંગ કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે જેથી ત્યાં ટ્રાફિક સહિતના જે પ્રશ્નો છે તે આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે

મોરબીના દરેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા છે ત્યારે ટ્રાફિકના પ્રશ્ને ઉકેલવા માટે ઓવરબ્રિજ મંજૂર કરીને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી અને સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ માટે સરકારમાં રજુઆત કરી હતી જેને ધ્યાને રાખીને શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે આવેલ ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મોરબી નગરપાલિકાના આ નવા પ્રોજેકટ માટે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કચેરીને પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે જેથી ટૂંક સમયમાં ઉમિયા સર્કલે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે






Latest News