મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી
SHARE
મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા રિલીફનગરમાં છેલ્લા ઘણા મહિનાથી ગટરની સમસ્યા છે અને તેના માટે પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને ગટરના ગંદા પાણી આજની તારીખે લોકોના ઘરમાં અને શેરીમાં ભરાયા છે જેથી કરીને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દેહશત લોકોમાં જોવા મળી રહી છે ત્યારે રિલીફનગરના બ્લોક નં-૩૭ માં રહેતા પ્રમોદકુમાર ચુનીલાલ મહેતાએ માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લા સાત મહીનાથી તેમની શેરીમાં અને ઘરમાં ગટરના ગંદા પાણી છે આ બાબતે નગરપાલિકાને રજુઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોકો હેરાન છે.તેમજ સફાઈ માટે આવતા લોકો "આગળ કુંડી તૂટી ગઈ છે" તેવું છેલ્લા ત્રણ મહિનાથી કહે છે પરંતુ તે રીપેરીંગનું કામ કરવામાં આવતું ન હોય કે જે કામ હોય તે પણ હાલ આ રીલીફનગર વિસ્તારની અંદર છેલ્લા દોઢ મહિનાથી લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયેલા છે જે તસવીરમાં જોઈ શકાય છે. ! (