મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન
મોરબીમાં સેવા નિવૃત આર્મીમેનનું વાજતે ગાજતે ઘોડે બેસાડી કરાયુ સ્વાગત
SHARE
મૂળ બંગાવડી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસેની હરી પાર્ક સોસયટી ખાતે રહેતા ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રા તાજેતરમાં ભારતીય સેનામાં નાયક પદેથી નિવૃત થતા તેમનું હરીપાર્ક સોસયટીના રહેવાસીઓ દ્રારા મોટી સંખ્યામાં બાજર રહીને કડકડતી ઠંડીમાં પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું.ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રાએ ભારતીય સેનામાં ૧૫ વર્ષ ૩ મહિના જેટલો સમય નોકરી કરી જે દરમિયાન ૭ વર્ષ પંજાબ, ૭ વર્ષ શ્રીનગર અને ૧.૩ વર્ષ ઓડિશા ખાતે માતૃભૂમિની રક્ષા કરીને પોતાની ફરજ અદા કરી હતી હાલ તેઓ નાયક પદે નિવૃત્ત થઈને વતનમાં પરત ફરતા હરિ પાર્ક સોસાયટી ખાતે તેમનું વાજતે ગાજતે ઘોડા ઉપર બેસાડીને સ્વાગત કરાયું હતું.