મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં સેવા નિવૃત આર્મીમેનનું વાજતે ગાજતે ઘોડે બેસાડી કરાયુ સ્વાગત


SHARE









મોરબીમાં સેવા નિવૃત આર્મીમેનનું વાજતે ગાજતે ઘોડે બેસાડી કરાયુ સ્વાગત
 
દેશના સીમાડાઓની રક્ષા કરતા આર્મીમેનો પ્રત્યે દેશના લોકોને અધિક પ્રેમ હોય છે અને તે સમયાંતરે જોવા મળતો હોય છે તેવી રીતે જ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા અને ૧૫ વર્ષ જેટલો સમય આર્મીમાં નોકરી કર્યા બાદ સેવા નિવૃત થયેલા આર્મીમેનને વાજતે ગાજતે ઘોડે બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય સેનામાં ૧૫ વર્ષથી વધુ સમય સુધી નોકરી કરીને સેવા નિવૃત્ત થનાર આર્મીમેનનું મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની પાસે આવેલી હરીપાર્ક સોસાયટી ખાતે ત્યાંના રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ફુલડે વધાવી તેમજ ઘોડે બેસાડીને તેમનું સન્માન કર્યું હતું.

મૂળ બંગાવડી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસેની હરી પાર્ક સોસયટી ખાતે રહેતા ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રા તાજેતરમાં ભારતીય સેનામાં નાયક પદેથી નિવૃત થતા તેમનું હરીપાર્ક સોસયટીના રહેવાસીઓ દ્રારા મોટી સંખ્યામાં બાજર રહીને કડકડતી ઠંડીમાં પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું.ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રાએ ભારતીય સેનામાં ૧૫ વર્ષ ૩ મહિના જેટલો સમય નોકરી કરી જે દરમિયાન ૭ વર્ષ પંજાબ, ૭ વર્ષ શ્રીનગર અને ૧.૩ વર્ષ ઓડિશા ખાતે માતૃભૂમિની રક્ષા કરીને પોતાની ફરજ અદા કરી હતી હાલ તેઓ નાયક પદે નિવૃત્ત થઈને વતનમાં પરત ફરતા હરિ પાર્ક સોસાયટી ખાતે તેમનું વાજતે ગાજતે ઘોડા ઉપર બેસાડીને સ્વાગત કરાયું હતું.






Latest News