મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક લૂંટના ઇરાદે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા


SHARE







મોરબી નજીક લૂંટના ઇરાદે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસે રવિવારે વહેલી સવારે યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કેસારવારમાં તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને જ્યુએનાઈલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરીને હાલમાં ત્રણેયને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા આવ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર વાળા રોડ ઉપર આવેલ ફયુઝન ગ્રેનાઇટો નામના કારખાના પાસે મૂળ એમપીના રહેવાસી અમરશી નારાયણ સરકાર જાતે રાજપૂત (૨૩) નામનો યુવાન ગત રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેને છાતીના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને ગંભરી ઇજા થયેલ હોવાથી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજીવ નારાયણ રાજક્રિશ્ન સરકાર જાતે રાજપૂત (૨૦) રહે. મૂળ એમપી હાલમાં રહે ફયુઝન ગ્રેનાઇટો ખોખરા હનુમાન મંદિર રોડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબીની ટિમ આરોપીને શોધી રહી હતી તેવામાં કારખાના નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા ત્રિપાલ સવારી એક બાઇક ત્યાંથી નિકળ્યું હતું જેની તપાસ કરવામાં આવતા હત્યાનો ભેદ ઉલેકાઈ ગયેલ છે અને વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ હત્યાના આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરવામાં આવ્યા હતા અને તેની પૂછપરછમાં તેને જણાવ્યુ હતું કે, લૂંટના ઇરાદે મૃતક યુવાન પાસે ગયા હતા અને ત્યારે મૃતક યુવાને પ્રતિકાર કરતાં તેને છરી મારી દીધી હતી અને યુવાનનું મોત નીપજયું હતું હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને જ્યુએનાઈલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ત્રણેયને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા આવ્યા છે 






Latest News