આમ આદમી પાર્ટીએ માળિયા (મી)ના આરોગ્ય કેન્દ્ર મુલાકાત લેતા ચોકાવનારું તથ્ય સામે આવ્યું
મોરબીના ૨૯ કેન્દ્રો ઉપર ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે
SHARE
મોરબીના ૨૯ કેન્દ્રો ઉપર ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે
સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી રહી છે. ત્યારે આગામી તા ૯ ન રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતના ૭૩૬ કેન્દ્ર પરથી ૭૮,૬૪૭ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે જેમાં મોરબીના ૨૯ કેન્દ્રો ઉપર ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવાના છે
સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતના ૭૩૬ કેન્દ્રો પરથી ૭૮,૬૪૭ છાત્રો પરીક્ષા આપશે. આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે. અને સંપૂર્ણ ભારતમાં જે જે સંસ્કૃતની પરીક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા નોંધાયેલી હોય તો તે આ પરીક્ષામાં છે. આગામી તા.૯ ને શનિવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે ૧ થી ૨ પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા રહેશે. આ પરીક્ષા પૂર્વે કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરેલ હતું. અને છાત્રોના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખુબ સારી તૈયારી કરી શકે તેવું આયોજન કરેલ છે. આ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે