મોરબીમાં સગીરાના અપહરણના પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં ૮ વર્ષથી અનડિટેકટ ૧૪ વર્ષીય નિખીલ હત્યાકાંડના હત્યારાઓ કયારે પકડાશે..? : પીએમને મૃતકના પિતાનો સવાલ
SHARE
મોરબીમાં ૮ વર્ષથી અનડિટેકટ ૧૪ વર્ષીય નિખીલ હત્યાકાંડના હત્યારાઓ કયારે પકડાશે..? : પીએમને મૃતકના પિતાનો સવાલ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા દરજી પરિવારના ૧૪ વર્ષના પુત્રનું આઠ વર્ષ પહેલા અપહરણ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને લાશ રામઘાટ પાસે કોથળામાં બાંધીને નદીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી.છેલ્લા આઠ વર્ષથી આ કેસ અનડિટેકટ છે અને તેમાં કોઈ પણ જાતનો પ્રોગ્રેસ થયો ન હોય તેમજ સીઆઇડી તપાસ ચલાવી રહી હોવા છતાં પણ આરોપીઓ પકડાતા ન હોય મૃતક બાળકના પિતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને હત્યારાનેેેે પકડવામાં આવે તેવી માંગ સાથે અરજ કરવામાં આવેલ છે.
સીએમને કરેલ અરજીમાં નિખીલના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ જણાવેલ છે કે, મોરબીમાં મારા પુત્ર નિખિલ ધામેચાની હત્યાને આજે ૮ વર્ષ પુરા થયા પણ હજી સુધી અમારા પરિવારને ન્યાય મળ્યો નથી મારા પુત્ર નિખિલને તા.૫-૧૨-૧૫ ના રોજ શનાળા રોડ જી.આઇ.ડી.સી પાસે તપોવન સ્કુલેથી કાળા કલરના એક્ટિવા પાછળ બેસાડીને અપહરણ કરાયુ હતું અને તા.૧૭-૧૨-૧૫ ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી ડેડ બોડી મળી હતી. એક્ટિવામા પાછળ બેસાડીને લય જાવાય છે તેવા ફોટા અને સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને જેતે સમયે મળ્યા હતા.તો પણ આજે આઠ આઠ વર્ષ સુધી અમારા પરિવારને ન્યાય નથી મળ્યો આ કેસની તપાસ મોરબી પોલીસ પાસેથી આંચકીને સીઆઇડી ક્રાઇમને સોંપી હોવાને પણ પાંચેક વર્ષ જેવો સમય થવા છતા કોઇ ફળદાયક યોગ્ય તપાસ થઈ નથી.તપાસ સ્કુલના સીસી ટીવી કેમેરામા દેખાતા ઍક્ટિવામા જ અટકી છે.તેનાથી આગળ વધી નથી.વધુમા પરેશભાઇએ જણઆવેલ છે કે અમને શંકા છે કે અમારા બાળકની હત્યામાં કોઈ મોટી વગદાર વ્યક્તિનો હાથ છે એટલે અમને ન્યાય મળવામા આટલો વિલંબ થઇ રહ્યો છે.માટે આ કેસની યોગ્ય તપાસ થાય અને અમને ન્યાય મળે એવી અમારી માંગ છે.અમને આશા છે કે તમે યોગ્ય તપાસ કરાવીને અમને ન્યાય અપાવશો.તેવી રજુઆત મૃતક નિખીલ ધામેચાના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી વડે કરેલ છે.