મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં ૮ વર્ષથી અનડિટેકટ ૧૪ વર્ષીય નિખીલ હત્યાકાંડના હત્યારાઓ કયારે પકડાશે..?  : પીએમને મૃતકના પિતાનો સવાલ


SHARE









મોરબીમાં ૮ વર્ષથી અનડિટેકટ ૧૪ વર્ષીય નિખીલ હત્યાકાંડના હત્યારાઓ કયારે પકડાશે..?  : પીએમને મૃતકના પિતાનો સવાલ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા દરજી પરિવારના ૧૪ વર્ષના પુત્રનું આઠ વર્ષ પહેલા અપહરણ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને લાશ રામઘાટ પાસે કોથળામાં બાંધીને નદીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી.છેલ્લા આઠ વર્ષથી આ કેસ અનડિટેકટ છે અને તેમાં કોઈ પણ જાતનો પ્રોગ્રેસ થયો ન હોય તેમજ સીઆઇડી તપાસ ચલાવી રહી હોવા છતાં પણ આરોપીઓ પકડાતા ન હોય મૃતક બાળકના પિતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને હત્યારાનેેેે પકડવામાં આવે તેવી માંગ સાથે અરજ કરવામાં આવેલ છે.

સીએમને કરેલ અરજીમાં નિખીલના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ જણાવેલ છે કે, મોરબીમાં મારા પુત્ર નિખિલ ધામેચાની હત્યાને આજે ૮ વર્ષ પુરા થયા પણ હજી સુધી અમારા પરિવારને ન્યાય મળ્યો નથી મારા પુત્ર નિખિલને તા.૫-૧૨-૧૫ ના રોજ શનાળા રોડ જી.આઇ.ડી.સી પાસે તપોવન સ્કુલેથી કાળા કલરના એક્ટિવા પાછળ બેસાડીને અપહરણ કરાયુ હતું અને તા.૧૭-૧૨-૧૫ ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી ડેડ બોડી મળી હતી. એક્ટિવામા પાછળ બેસાડીને લય જાવાય છે તેવા ફોટા અને સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને જેતે સમયે મળ્યા હતા.તો પણ આજે આઠ આઠ વર્ષ સુધી અમારા પરિવારને ન્યાય નથી મળ્યો આ કેસની તપાસ મોરબી પોલીસ પાસેથી આંચકીને સીઆઇડી ક્રાઇમને સોંપી હોવાને પણ પાંચેક વર્ષ જેવો સમય થવા છતા કોઇ ફળદાયક યોગ્ય તપાસ થઈ  નથી.તપાસ સ્કુલના સીસી ટીવી કેમેરામા દેખાતા ઍક્ટિવામા જ અટકી છે.તેનાથી આગળ વધી નથી.વધુમા પરેશભાઇએ જણઆવેલ છે કે અમને શંકા છે કે અમારા બાળકની હત્યામાં કોઈ મોટી વગદાર વ્યક્તિનો હાથ છે એટલે અમને ન્યાય મળવામા આટલો વિલંબ થઇ રહ્યો છે.માટે આ કેસની યોગ્ય તપાસ થાય અને અમને ન્યાય મળે એવી અમારી માંગ છે.અમને આશા છે કે તમે યોગ્ય તપાસ કરાવીને અમને ન્યાય અપાવશો.તેવી રજુઆત મૃતક નિખીલ ધામેચાના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી વડે કરેલ છે.






Latest News